Wednesday 19 February 2014

કાયમ રહે છે...


લાગે છે એટલેજ પ્રેમને ઈશ્વર કાયમ ક્હે છે,
પ્રેમીઓ મળે કે ન મળે, પ્રેમ કાયમ રહે છે.

મળવું ન મળવું બધું સંજોગ આધીન રહે છે,
મુદ્દાની વાત તો એ છે કે સંબંધ કાયમ રહે છે.

મળી જાય તો ફર્ક એટલો, એ નજર સામે રહે છે,
ના મળે તોયે નજર સામે એક નજર કાયમ રહે છે.

મળી જાય તો એ ખરું, કે તે વાત કાયમ કરે છે,
ના મળે તોયે વાતવાતમાં એની વાત કાયમ રહે છે.

મળી જાય તો એની સુગંધથી ઘર મહેકતું રહે છે,
ના મળે તો પણ હવામાં એક સુગંધ કાયમ રહે છે.


-       Baiju Jani
(૧૯/૨/૨૦૧૪)